Monday, June 7, 2010

જન્મકુંડળીનો પંચમભાવ-સંતાન સ્થાન

જન્મકુંડળીનો પંચમભાવ-સંતાન સ્થાન

જન્મકુંડળીનું પાંચમું સ્થાન કાળ પુરુષના અંગો પ્રમાણૅ પેટનો ભાગ ગણાય છે.આ ભાગમાં જ સ્ત્રીઓને ગર્ભાશયમાં ગર્ભ રહે છે.પાંચમો ભાવ ત્રિકોણ સ્થાન પણ છે જે સ્નેહ,પ્રેમ,પ્રેમલગ્ન,સંતાનયોગ,પૂર્વ-જન્મનું પૂણ્ય,બુદ્ધિ,પ્રસુતિ,યાત્રા.. વગેરે પણ દર્શાવે છે.

પ્રસ્તુત લેખમાં આપણૅ જાતકની જન્મકુંડળીમાં આ પાંચમાં સ્થાનથી અને તેમાં આવેલી રાશિના સંદર્ભમાં ફળ કેવુ સંભવે તેની સંક્ષિપ્તમાં વાત કરીશું. જોકે વિગતવાર અભ્યાસ માટે પાંચમા સ્થાનના સ્વામી અને તેના કારક ગુરુની સ્થીતિ,પાંચમાં સ્થાનમાં રહેલા ગ્રહની ઉપસ્થીતિ,પતિ/પત્નીની જન્મકુંડળીનો પણ અભ્યાસ હિતાવહ છે.

જો પાંચમા સ્થાને રાશિ ——–તો સંતાન——– સંભવે…..

મેષ : સંતાન પાપી,ક્રુર,ચરિત્ર્યહીન અને સુખહીન સંભવે.

વ્રુષભ : સુંદર અને મનોહર, શુશીલ, બળવાન પુત્ર થાય.

મિથુનઃ પોતાની મરજી મુજબ ચાલનાર અને શુશીલ થાય.

કર્ક : યશવાન, ઉદાર અને ધનવાન થાય

સિંહ : શૂરવીર, સુંદર પુત્ર થાય છે.ઉગ્ર પણ ક્ષમાવાન થાય છે.

કન્યાઃ અધિક કન્યા સંતાન થાય.પુત્ર સંતતિ અલ્પ સંભવે.

તુલાઃ સુંદર, સુખી,શુશીલ,મનોહર અને કાર્યદક્ષ સંતાનો સંભવે.

વ્રુશ્ચિકઃ વિનયી,ધાર્મિક સંતાન સંભવે.

ધનઃ ગુણવાન, જ્ઞાની,શત્રુઓને જીતનાર,રાજ્ય સન્માન મેળવનાર સંતાન સંભવે.

મકરઃ જાતકના સંતાનો કુરૂપ, પાપી,આળસુ,નિષ્ઠુર્,પ્રેમહીન અને ક્રૂર સ્વ્ભાવના નપુસંક સંભવે.

કુંભઃ ગંભીર,ધીર, સત્યવાન પ્રસિદ્ધ,પુણ્યવાન સંભવે.

મીનઃ પિત્રુભક્ત,ધનવાન છતાંય રોગી સંતાનો સંભવે.

No comments:

Post a Comment