Sunday, November 14, 2010

આંગળીથી જાણો વ્યક્તિ ગરીબ છે કે ધનવાન !




વ્યક્તિની અનામિકા (ટચલી આંગળી પાસેની આંગળી) આંગળી જુઓ અને જો તે લાંબી હોય તો તે વ્યક્તિ માલેતુજાર હશે. હાં તમારી આંગળી જોવાનું પણ ન ભૂલતા.

બાકી આંગળીઓ કરતાં અનામિકા જેટલી લાંબી તે વ્યક્તિ ધનવાન હોવાની શક્યતા વધુ.

અભ્યાસમાં જાણવા મળ્યું કે લાંબી અનામિકાવાળા વ્યક્તિ સખત મહેનત કરતા હોય છે અને તેઓ પોતાના જવાબમાં નહીં શબ્દ સાંભળવાનું પસંદ કરતા નથી. તે પછી કોઈ નાણાકીય કરાર હોય કે યુવતીના હ્રદયમાં સ્થાન મેળવવાની બાબત હોય.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે મહિલાઓને વિશ્વાસપાત્ર સાથીદાર જોઈતો હોય તેમણે લાંબી તરજનીવાળા (અંગૂઠા પાસેની આંગળી) પુરૂષોની શોધ કરવી જોઈએ. લાંબી તરજનીવાળ શખ્શ મિસ્ટર ભરોસેમંદ હોય છે. પુરૂષો અને મહિલાઓ બંનેમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર આંગળીની લંબાઈની સરખામણીને પ્રભાવિત કરે છે પરંતુ પુરૂષોનું વ્યક્તિત્વ જ તેના સ્તરથી પ્રભાવિત થાય છે.

સ્ટડીમાં બીજી વસ્તુ એ પણ જાણવા મળી કે જે વ્યક્તિઓની અનામિકા અને તર્જનીની લંબાઈ ઓછી હોય છે તેઓ દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા હોય છે.


Saturday, November 13, 2010

જયોતિષ- કર્મ સિધ્ધાંત




‘શાસ્ત્રો પોકારીને કહે થવાનું હોય તે થાય,
ભાવિ આગળ કોઈનુ ચાલે નહિ જરાય ‘


સંસારમાં કોઈ કરોડપતિ છે તો કોઈ ભિખારી. જ્યાં ધન-સંપતિની સોળો ઉડે છે ત્યાં ખાનાર નથી. અર્થાત શેર માટીની ખોટ છે અને જેને ઘરે ખાનારનો તોટો નથી , ત્યાં શેર અનાજના વાંધા પડે છે.ધન,સંપતિ,મકાન,વાહન,પુત્ર-પરિવાર..બધુ હોય ત્યાં ભોગવનાર શરીરસુખ ના હોય અને હોય તો સંતતિ દુરાચારી પાકે, જેથી જીવનમાંથી સુખ-શાંતિ ચાલી જાય. જગતમાં જયાં જૂઓ ત્યાં વિષમતા દેખાય છે. કોઈ સુખી છે તો કોઈ દુઃખી છે.માણસનું ધાર્યુ બધુ થતુ નથી. પરંતુ ધારણા કરતા જ્યારે વિપરિત બને છે ત્યારે વિચારવુ પડે છે કે આમ કેમ ?


માનવ માત્ર પ્રક્રુતિને વશ થઈને કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. જેથી જેવુ વાવશો તેવુ લણશો.પરિણામે વાવેતર બાવળનુ કર્યુ તો બાવળ જ મળે આંબો કેરી નહી. પરિણામે સમય સાથે જે તે ફળ અવશ્ય મળે છે.

કર્મના ત્રણ પ્રકાર છે.
૧ ક્રિયામાણ ૨ સંચિત અને ૩ પ્રારબ્ધ
૧ ક્રિયામણ..વર્તમાન જન્મમાં જે કર્મ કરવામા આવે તે ક્રીયામાણ કહેવાય.
૨ સંચીત કર્મ.. ફળ આપ્યા સિવાયના જે કર્મો રહી ગયેલા હોય તે સંચિત કર્મ કહેવાય.
૩ પ્રારબ્ધ કર્મ.. જે ગત જન્મમાં સંચિત થયેલ કર્મો ભોગવવા દેહ ધારણ કરવો પડે છે. જેના ફળ આ જન્મે ભોગવવાના છે તે ગયા જન્મના કર્મને પ્રારબ્ધ કર્મ કહે છે.

પરિણામે નક્કી થાય છે કે માણસ માત્ર પોતે પોતાનું ભાગ્યનું નિર્માણ કરેછે. અંગ્રેજીમાં કહેવત છે,
“‘Beauty weeps and Fortune enjoys ”. – ‘ રૂપાળી રડે અને કરમની ખાય ‘ તે યથાર્થ છે.
પૂર્વા જન્મમાં કરેલા શુભાશુભ કર્મોનુ ફળ આ જન્મમાં પ્રત્યેક માણસ ભોગવે છે જેને આપણે પ્રારબ્ધ, નસીબ યા ભાગ્ય કહીયે છે. ખરેખર ‘ ‘Those who smile on Saturday, will weep on Sunday’. આમ હસવુ કે રડવું તે આપણા કર્મનુ જ ફળ છે.

જ્યોતિષ શાસ્ત્રની મદદથી પૂર્વ જન્મમાં કરેલ શુભાશુભ કર્મોની જાણકારી પ્રાપ્ત થાય છે.જેથી જન્મ-કુંડળી એ માણસના કર્મના ફળોનો નિર્દેશ કરે છે. જેમ ભૂતકાળ બદલી શકાતો નથી તેમ અપરાધ કરનાર તથા વારંવાર ગુના કરનારને ન્યાયધીશ પણ ગમે તેટલી વિનંતીઓ કરવા છતાં માફ કરતો નથી તેમ પ્રભુ પણ માફ કરતો નથી.
જેથી જે વ્યક્તિની કુન્ડળીમાં લગ્ન સ્થાને કે ચંદ્ર ઉપર ગુરૂ યા ભાગ્યેશની દ્રષ્ટિ હોતી નથી તેવી વ્યક્તી ગમે તેટલી શાંતી કે હવન કરાવે તો પણ ખરાબ ફળ અવશ્ય ભોગવવા પડે છે.
તેથી જ કહેવત છે કે
‘ સમય સમય બળવાન, નહિ મનુષ્ય બળવાન
કાબે અર્જૂન લૂંટીયો, વહી ધનુષ વહી બાણ. ‘

આમ જ્યોતિષ શાસ્ત્ર માનવીને પોતાના કર્મોના શુભાશુભ ભંડારની જાણકારી આપીને જીવનને યોગ્ય રીતે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપનાર દિવ્ય શાસ્ત્ર છે. જેથી ભાવિની જાણકારી હોય તો માનવી ગ્રહો અને પ્રભુને પણ વશ કરી શકે તેમાં શંકા નથી.
જો આ શાસ્ત્રના પ્રચાર, પ્રસાર અને વિકાસ અંગે દરેક પોતાની સંપત્તિનો થોડોક પણ સદ્વ્યય કરે તો જ્યોતિષશાસ્ત્રનો હાસ થતો અટકશે અને પ્રાચિન ભારતના આ દિવ્ય શાસ્ત્રના ઉધ્ધારની સેવાનું અમૂલ્ય ફળ પ્રાપ્ત થશે.

‎***The mind is the source of happiness and unhappiness.***



‎***The mind is the source of happiness and unhappiness.***

પ્રેમ - સ્નેહના સંબંધો વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે?












પ્રેમ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહો હોય તો તેમાં શુક્ર-મંગળ-ચંદ્રનાં નામ ગણાવી શકાય. આથી જ પ્રેમલગ્ન કરનારાઓની કુંડળીમાં મંગળ-શુક્રની યુતિ આંખે ઊડીને વળગે છે.


હેતુનૈસર્ગિક : કોપિ પ્રીતર્યદ્વિ ન વર્તતે, માલતી મધુરાસ્તીતિ મધુપ: કેમ શિક્ષ્યતે-પ્રેમ થવા માટે કોઇ કુદરતી કારણ જ હોય છે. જો આવું ના હોય તો માલતી મધુર છે એવું ભમરાને કોણ શીખવે છે.

પ્રેમ સમજવાનો શબ્દ નથી પરંતુ એક અદ્ભુત અનુભૂતિ છે. પ્રથમ દ્રષ્ટિએ જ ભાવવિભોર કરી નાખનારા આ શબ્દની પાછળ અનેક કષ્ટ અને પીડા છુપાયેલાં છે. જગતનો અતિ પ્રિય વિષય પરંતુ તેટલો જ વિવાદાસ્પદ વિષય પ્રેમ છે.

પ્રેમ એટલે મીરા, પ્રેમ એટલે અમૃતા પ્રીતમ, પ્રેમ એટલે હીરરાંઝા, શીરીન ફરહાદ, સોની મહીવાલ અને લયલા મજનૂ. સમગ્ર માનવ જીવનને માણવા, માનવજાતને જીતવા પ્રેમ જેવો વિકલ્પ નથી. પ્રેમને સમજવા ગ્રહોને જાણવા પડે અને જ્યોતિષશાસ્ત્રને ફેંદવું પડે.

બ્રહ્માંડના તમામ ગ્રહોમાં પ્રેમ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહો હોય તો તેમાં શુક્ર-મંગળ-ચંદ્રનાં નામ ગણાવી શકાય કારણ કે શુક્ર એટલે પ્રેમનો ધોધ, લાગણીનો પ્રવાહ શુક્ર એટલે પ્રેમનો પર્યાય, શુક્ર એટલે પ્રેમનું સૌંદર્ય અને પ્રેમનો સ્ત્રોત શુક્ર વ્યક્તિની ઊર્મિ અને આકર્ષણ સાથે સંકળાયેલો ગ્રહ છે. ત્યારે મંગળ પાસે પ્રેમપંથ પર આગળ વધવાની, ધપવાની નીડરતા અને શૂરવીરતા છે.

પ્રેમ નામની જ્યોતમાં મંગળ શૌર્ય અને સાહસનું તેલ પૂરી તેને અખંડ રાખે છે. આથી જ પ્રેમલગ્ન કરનારાઓની કુંડળીમાં મંગળ-શુક્રની યુતિ આંખે ઊડીને વળગે છે. ચંદ્ર પ્રેમના પવિત્ર સંબંધોને શીતળતા અને ઠંડક આપે છે, કારણ કે પ્રેમના ઝરણાનું ઉદ્ભવ સ્થાન ભલે હૃદય હોય પરંતુ ચંદ્ર નામનું મન આ પ્રેમ ઝરણાને સાચી દિશા આપી અને પ્રવાહિતા આપે છે.

મંગળ જ્યારે શુક્રની વૃષભ, તુલા રાશિમાં હોય અને સાથે જો શુક્ર હોય તો આવો જાતક સ્ત્રી કે પુરુષ પ્રેમપ્રવાહમાં તણાય છે. પ્રેમના તાંતણે બંધાય છે. આ પ્રમાણે જન્મકુંડળીમાં ચંદ્ર-શુક્ર સાથે હોય તો સ્નેહ સંબંધો વિસ્તરે છે.

મંગળ-શુક્રની યુતિ શુભ સ્થિતિમાં હોય તો પ્રેમસંબંધો સાચી દિશામાં આગળ વધે છે. વડીલોની આજ્ઞા-આશીર્વાદથી આવા સંબંધ લગ્નમાં પરિણમે છે, પરંતુ મંગળ-શુક્રની યુતિમાં રાહુ-શનિ ભળે તો આવા પ્રેમસંબંધોનો અંજામ ભાગેડુ લગ્નજીવન તરીકે આવે છે.

પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી કરતાં એક બહેન સુંદર-સંસ્કારી અને સભ્ય છે. પોતાના ટેબલની બાજુમાં બેસતા સહકર્મચારી સાથે પ્રેમ થયો. પ્રણય અંકુર છોડ બન્યો છેવટે વટવૃક્ષ બન્યું અને બંને જણે એક દિવસ ક્યારે ભાગી લગ્ન કરી લીધા તે વાત ઓફિસમાં મોડે મોડે ખબર પડી, બહેનની જન્મકુંડળીમાં વૃષભમાં મંગળ-શુક્રની યુતિ છે.

આવો જ એક અન્ય કિસ્સો છે પરંતુ આ જન્મકુંડળીમાં મંગળ-શુક્રની સાથે ગુરુની યુતિ છે, આથી ગુરુ નામના પવિત્ર ગ્રહે આ જાતકને સાચી સમજ અને દિશા બતાવી. કુંડળીના મંગળ-શુક્રના સંબંધને ગુરુએ નિયંત્રણમાં રાખ્યા. ફળ સ્વરૂપે આ જાતકે પ્રેમસંબંધનાં સાત સાત વર્ષનાં વહાણાં બાદ વડીલોની આજ્ઞા - આશીર્વાદ અને સંમતિથી લગ્ન કર્યાં.

ઉપર્યુક્ત બે કિસ્સા મંગળ-શુક્રના સંબંધ આધારિત પ્રેમલગ્નમાં પરિણમ્યા. મંગળ-શુક્રના સંબંધો હૈયાને હચમચાવી મૂકે છે. મંગળ-શુક્રની યુતિમાં જો ચંદ્રની ચંચળતા ભળે તો ક્યારેક પરિણીત જીવનમાં પણ પ્રેમની આંધી સર્જાય છે, કારણ કે મંગળ સાહસનો કારક ગ્રહ છે.

શુક્ર પ્રેમ સ્નેહનો કારક છે. તેમાં ચંદ્રની ચંચળતા ભળે ત્યારે લગ્નનાં તમામ બંધન અને સામાજિક વાડાબંધીને ભુલાવી દે છે. શુક્ર કામદેવતાનું સાક્ષાત્ સ્વરૂપ છે. તેમાં મંગળનું પુરુષાતન જાતીયતાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે.

શુક્ર સૌંદર્ય તો મંગળ તેનો મેકઅપ છે. શુક્ર પ્રેમ-પરિણયની આકૃતિ છે તેમાં મંગળ પ્રણયનો રંગ પૂરે છે. મંગળ-શુક્રની યુતિ મેગ્નેટિક છે અને મંગળ-શુક્રની યુતિ અગર ચંદ્ર-શુક્રની યુતિવાળા જાતકો પ્રેમ-સ્નેહ-પ્રણયના સાચા હકદાર છે.
Astrologer Himanshu Dedhia

Create your badge

પ્રેમલગ્નની શક્યતાનો સંકેત એટલે મંગળ-શુક્રની યુતિ




મંગળ પૌરાણિક શાસ્ત્રો અનુસાર પૃથ્વીપુત્ર ગણાય છે. મંગળપ્રધાન વ્યક્તિમાં ભગવાન શિવનો જુસ્સો, ગુસ્સો અને પૃથ્વી સમાન માતૃત્વની ઉદારતા જોવા મળે છે. મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે.
મંગળ એટલે જ શુભ, કલ્યાણકારી અને પવિત્ર, આમ છતાં જ્યોતિષીઓએ મંગળ ગ્રહને ખૂબ જ વિવાદાસ્પદ બનાવ્યો છે. લગ્ન હોય કે છૂટાછેડા, આપઘાત હોય કે ઓપરેશન મંગળ હંમેશાં અગ્રસ્થાને રહે છે. આ મંગળ જ્યારે અન્ય ગ્રહોની યુતિમાં આવે ત્યારે તેનાં પરિણામ કેવાં હોય તે જોઈએ.

મંગળ સાથે ચંદ્ર જોડાય ત્યારે ચંદ્ર-મંગળનો માંગલ્ય યોગ સર્જાય છે જેને જ્યોતિષની ભાષામાં લક્ષ્મીયોગ કહે છે. આવા જાતકોનો ભાગ્યોદય નદી, દરિયાકાંઠે થતો હોય તેવું અવલોકનમાં આવ્યું છે. ચંદ્ર-મંગળની યુતિવાળા જાતકોને જીવનમાં ધનનું સુખ સારું હોય છે, પરંતુ આવો યોગ શુભ સ્થિતિમાં હોવો જરૂરી બને છે. ધારો કે મકર રાશિમાં આવી યુતિ થાય તો મકર રાશિમાં મંગળ ઉરચનો બને પરંતુ ચંદ્ર અસ્ત રાશિમાં આવતાં નિર્બળ બને છે. મીન રાશિમાં ચંદ્ર-મંગળની યુતિનાં ફળ શ્રેષ્ઠ જોવા મળ્યાં છે, કારણ કે મીન રાશિ ગુરુ ગ્રહની સ્વરાશિ છે અને મંગળ-ચંદ્ર-ગુરુ ત્રણે ગ્રહો મિત્ર ગ્રહો છે.

ચંદ્ર-મંગળની યુતિ પરથી ગોચરમાં જો શનિ-રાહુનું ભ્રમણ થાય તો આવા સમયે જાતકની બે નંબરી આવકમાં વધારો થાય છે, પરંતુ આવા ભ્રમણ સમયે જાતકની તબિયત લથડવાના યોગ પણ સર્જાય છે. આવી ચંદ્ર-મંગળની યુતિનું મૂલ્યાંકન સાચા અર્થમાં થવું જરૂરી છે.

મંગળ-સૂર્યની યુતિ એટલે અંગારક યોગ થાય, કારણ કે બંને ગ્રહો અગ્નિતત્વના ગ્રહો છે. આવી યુતિવાળા જાતકો સ્વભાવે ઉગ્ર અને નાના-નાના બનાવો તેમ જ નજીવી બાબતને લઈને ઉશ્કેરાટ અનુભવતા હોય છે. કુંડળીના જે સ્થાનમાં આવો અંગારક યોગ હોય તે સ્થાનને લઈને જાતકને અશુભ ફળ મળતાં હોય છે. ધારો કે સાતમા સ્થાનમાં આવી યુતિ હોય તો લગ્નજીવનમાં વિરછેદ કે વિસંવાદિતા ઊભી થાય છે.

મંગળ-બુધની યુતિ એટલે બુદ્ધિ-તીવ્રતા અને ઝડપનો સમન્વય કહેવાય, કારણ કે મંગળ એટલે જુસ્સો, ઝડપ, ગતિ અને શૌર્ય, સાહસ જ્યારે બુધ એટલે બુદ્ધિ, મંગળ બુધના સંબંધવાળા જાતકો હંમેશાં લોકપ્રિય અને મહાન હોય છે.

મંગળ-ગુરુની યુતિનો વિચાર કરીએ તો ગુરુ બ્રાહ્મણ ગ્રહ છે. ગુરુ બ્રહ્માંડમાં સૌથી મોટો ગ્રહ છે. ગુરુ એટલે જ સૌમ્ય, માનદ અને જ્ઞાનનો વિકલ્પ ગણાય. મંગળમાં સાહસ અને ઝડપ છે. મંગળ-ગુરુ મિત્ર ગ્રહો છે. બ્રહ્માંડના આ બંને શ્રેષ્ઠ મિત્ર ગ્રહો જ્યારે યુતિમાં આવે ત્યારે જાતકમાં કાર્યદક્ષતા, પ્રામાણિકતા, જ્ઞાન અને નમ્રતા સાથે કાર્ય કરવાની તત્પરતા દેખાય છે. મંગળ-ગુરુની યુતિવાળા જાતકોને સમાજમાં સારો મોભો અને માન-પ્રતિષ્ઠા મળે છે.

મંગળ-શુક્રની યુતિ બાબતે જ્યોતિષ શાસ્ત્રમાં જાતભાતના તર્કવિતર્ક ચાલે છે. મંગળ એટલે ઝડપ અને જુસ્સો, જ્યારે શુક્ર એટલે કામ (સેકસ), કલા, મદુતા. મંગળ-શુક્ર કુંડળીમાં ભેગાં થાય ત્યારે શુક્રના સેક્સમાં ગતિ આવે છે. મંગળની ગરમી શુક્રના શુક્રાણુઓમાં હલનચલન પેદા કરે છે. પરિણામે આવી યુતિવાળા જાતક વધુ પડતા કામી બને છે. મંગળ-શુક્રના અશુભ સંબંધો ક્યારેક બળાત્કાર અગર વિકત જાતીયતા તરફ ધકેલે છે. નારદસંહિતા અને કલ્યાણ વર્માની સારાવલીમાં મંગળ-શુક્રના સંબંધોને અનિષ્ટ અને કલંકિત ગણ્યા છે. આ પ્રકારની યુતિવાળા ગુપ્ત રોગથી પીડાતા હોય છે.

મંગળ-શનિની યુતિ એટલે શત્રુ ગ્રહોની યુતિ ગણાય, કારણ કે બંને ગ્રહોના ગુણધર્મ ભિન્ન છે. શનિ નપુંસક ગ્રહ છે તો મંગળ મર્દ ગણાય છે. શનિ અંધારિયો ગ્રહ છે જ્યારે મંગળ રાતો ગ્રહ છે. શનિ અતિ મંદ ગતિનો ગ્રહ છે. આવી યુતિવાળા મનના મક્કમ અને જિદ્દી હોય છે. ટેક્નિકલ લાઈન માટે આવી યુતિ સારી કહી શકાય, પરંતુ એકંદરે આવી યુતિનાં ફળ માઠાં હોય છે.

મંગળ-રાહુની યુતિ એટલે કૌભાંડ યોગ ગણાય. મંગળના શૌર્ય-સાહસને રાહુ અવળે માર્ગે વાળે છે. આવી યુતિવાળા વ્યસની બનતા હોય છે. તેમ જ પેટના રોગના દર્દી બને છે.

મંગળ-કેતુનું અર્થઘટન મંગળ-રાહુ જેવું ગણાય.

~*~ Nakshatra ~ Your Name 1st Letter ~*~

~*~ Nakshatra ~ Your Name 1st Letter ~*~


1. Aswini (अश्विनि) ~ Chu, Che, Cho, La (चु, चे, चो, ला)
2. Bharani (भरणी) ~ Lee, Lu, Le, Lo (ली, लू, ले, लो)
3. Krithika (कृत्तिका) ~ A, E, U, Ea (अ, ई, उ, ए)
4) Rohini (रोहिणी) ~ O, Va, Vi, Vu (ओ, वा, वी, वु)
5. Mrigashiras (म्रृगशीर्षा) ~ We Wo, Ka, Ki (वे, वो, का, की)
6. Aardhra (आर्द्रा) ~ Ku, Gha, Ing, chh (कु, घ, ङ, छ)
7. Punarvasu (पुनर्वसु) ~ Ke, Ko, Ha, Hi (के, को, हा, ही)
8. Pushyami (पुष्य) ~ Hu, He, Ho, Da (हु, हे, हो, डा)
9. Ashlesha (आश्लेषा) ~ De, Du, De, Do (डी, डू, डे, डो)
10. Magha (मघा) ~ Ma, Me, Mu, Me (मा, मी, मू, मे)
11. PoorvaPhalguni (पूर्व फाल्गुनी) ~ Mo, Ta, Ti, Tu (मो, टा, टी, टू)
12. Uthraphalguni (उत्तर फाल्गुनी) ~ To, Pa, Pe, Pu (टो, पा, पी, पू)
13. Hastha (हस्त) ~ Pu, Sha, Na, Tha (पू, ष, ण, ठ)
14. Chitra (चित्रा) ~ Pe, Po, Ra, Re (पे, पो, रा, री)
15. Swaathi (स्वाति) ~ Ru, Re, Ro, Taa (रू, रे, रो, ता)
16. Vishaakha (विशाखा) ~ Ti, TU, Tea To (ती, तू, ते, तो)
17. Anuraadha (अनुराधा) ~ Na, Ne, Nu, Ne (ना, नी, नू, ने)
18. Jyeshta (ज्येष्ठा) ~ No, Ya Yi, Yu (नो, या, यी, यू)
19. Moola (मूल) ~ Ye, Yo, Ba, Be (ये, यो, भा, भी)
20. Poorvashaada (पूर्वाषाढ़ा) ~ Bhu, Dha, pha Dha (भू, धा, फा, ढा)
21. Uthrashaada (उत्तराषाढ़ा) ~ Bhe, Bho, Ja, Ji (भे, भो, जा, जी)
22. Shraavan (श्रवण) ~ Ju/khi, Je/khu, Jo/khe, Gha/kho (खी, खू, खे, खो)
23. Dhanishta (धनिष्ठा)~Ga, Gi, Gu, Ge (गा, गी, गु, गे)
24. Shathabhisha (शतभिषा) ~ Go, Sa, Si, Su (गो, सा, सी, सू)
25. Poorvabhadra (पूर्वभाद्र) ~ Se, So, Da, Di (से, सो, दा, दी)
26. Uthrabhadra (उत्तरभाद्र) ~ Du, tha, Jha, Da (दू, थ, झ, ञ)
27. Revathi (रेवती) ~ De, Do, Cha, Chi (दे, दो, च, ची)